મોરબીના ચકચારી સર્વે નં. ૬૦૨ જમીન કૌભાંડમાં પત્રકાર અતુલ જોષી જામીન-મુક્ત
મોરબીના વજેપર સર્વે નંબર ૬૦૨ જમીન કૌભાંડમાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી તરીકે નામ ખુલેલા પ્રેસ રિપોર્ટર અતુલ જોષીના ગુજરાત હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવ્યા છે. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં વધુ એક આરોપી જામીન-મુક્ત થયા છે.


